પંચમહાલ જિલ્લાના રાજપૂત સમાજ માટે આગામી સમય ખૂબ જ ગૌરવવંતો બની રહેવાનો છે. પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ ટ્રસ્ટ પોતાના ગૌરવશાળી અસ્તિત્વના ૧૦૦ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ ઐતિહાસિક શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ શતાબ્દી મહોત્સવ અંતર્ગત આગામી તારીખ ૦૯/૦૧/૨૦૨૬, શુક્રવાર ના રોજ રાત્રે એક ભવ્ય લોકસાહિત્ય અને ભજનની રમઝટ જામશે. આ કાર્યક્રમની વિશેષતા એ છે કે ગુજરાતના સુપ્રસિદ્ધ અને લાખો દિલોની ધડકન સમાન લોકગાયક કિર્તીદાન ગઢવી આ ડાયરામાં પોતાની પ્રસ્તુતિ આપશે.