પાલિતાણા તાલુકાના હણોલ ગામે તા. ૧૩ થી ૧૫ જાન્યુઆરી દરમિયાન ત્રણ દિવસીય આત્મનિર્ભર હણોલ મહોત્સવ-૨૦૨૬ યોજાશે. મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, ડૉ. મનસુખ માંડવિયા, પી.ટી. ઉષા, જીતુભાઈ વાઘાણી, કુંવરજીભાઈ બાવળિયા સહિત અનેક ખ્યાતનામ હસ્તીઓ ઉપસ્થિત રહેશે. કૃષિ, ગ્રામિણ વિકાસ, રોજગાર, રમતગમત, ટેકનોલોજી અને સંસ્કૃતિ વિષયક કાર્યક્રમો યોજાઈ ગ્રામિણ આત્મનિર્ભરતાને પ્રોત્સાહન મળશે.