ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના ભય નીચે જીવતા ગ્રામજનોએ આજે રાહતનો શ્વાસ લીધો છે. નવી તરસાલી ગામની નવી વસાહત પાછળ આવેલા ખેતરમાંથી આખરે એક કદાવર દીપડો વન વિભાગના પાંજરે પુરાયો છે.ઝઘડિયા પંથકમાં અવારનવાર દીપડાના દેખા દેવાની ઘટનાઓ સામે આવતી હોય છે.