ગાંધીધામ લોહાણા મહાજન સમાજ દ્વારા જલારામ જયંતિ ઉજવણી સંદર્ભે ચાવલા ચોક વાડી ખાતે મહાપૂજા યોજાઈ હતી.ઉત્સવ અનુસંધાને જ્ઞાતિજનો રવાડી સ્વરૂપે મુખ્ય બજારમાં થઈ ભાઈ પ્રતાપ સર્કલ પહોચ્યા હતા, ત્યારબાદ આંબેડકર ભવન પહોંચી મહાઆરતીમાં ભાગ લીધો હતો. મહાજન ટ્રસ્ટીઓમાં મોહનભાઈ ધારશી, દિનેશભાઈ જોબન પુત્રા, લહેરુભાઈ ઠક્કર, ભરતભાઈ હાલાણી, રમેશભાઈ મજેઠીયા, ગંગારામભાઈ અનમ સહીતના ટ્રસ્ટના હોદેદારો, મહિલા મંડળ, યુવક મંડળ, સહિયર ગૃપ સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.