*નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા મળી આવેલ અજાણ્યા પુરૂષના મૃત દેહની જાણ બાબતે. નડીયાદ ટાઉન પો.સ્ટે. અ.મોત.નં.૦૪૭/૨૦૨૫ બી.એન.એસ.એસ..કલમ ૧૯૪ મુજબના કામે એક અજાણ્યો પુરૂષ જેની કોઈ માહીતી મળી આવેલ નથી. જેની ઉમર આશરે ૪૫ થી ૫૦ વર્ષ, મોજે નડિયાદ, ઘોડિયા બજાર, વૃંદાવન ડેરીથી આગળ ત્રીજી દુકાન પાસે કોઈ અગમ્ય કારણસર તા. ૦૮/૧૦/૨૦૨૫ ના કલાક ૦૮:૩૦ વાગ્યા પેહલા કોઈપણ સમયે મરણ ગયેલ હોય જેઓના વાલી વારસ બાબતે તપાસ કરતા કોઈ હકીકત મળી આવેલ નથી.