ગોધરા શહેરના કનેલાવ તળાવ પાસે આજે માર્ગ અકસ્માત સર્જાયો હતો. કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર અચાનક રોડ પરથી ઉતરી પલ્ટી મારી ગઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. કાર ઝડપી ગતિએ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને વાહનને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ ઈજાગ્રસ્તો કાર સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના પગલે સ્થળે લોકટોળું ઉમટી પડ્યું હતું અને પોલીસને જાણ કરવામાં આવી હતી.