તળાજા: મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના 62મા જન્મદિવસે તળાજામાં સેવાકીય કાર્યક્રમો, છાશ વિતરણથી લઈને વૃક્ષારોપણ સુધી અનોખી ઉજવણી
તળાજા શહેર અને તાલુકામાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના 62મા જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તળાજા શહેરમાં જગાભાઈ ગોપનાથવાળા તરફથી કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે તે માટે શહેરના પાંચ અલગ અલગ સ્થળોએ ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. તે ઉપરાંત સમાજના જરૂરિયાતમંદ અને ભૂખ્યા લોકોને ભોજન મળી રહે તે માટે ભાવેશભાઈ બારીયા દ્વારા આશુતોષ અન્નક્ષ