ગોધરા: સ્વામિનારાયણ મંદિર ખાતે ભાજપની મહત્વની બેઠક: પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણે સંગઠન મજબૂત કરવા આપ્યું માર્ગદર્શન
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર પરિસરમાં આજે ભારતીય જનતા પાર્ટીની એક મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને મધ્યઝોનના પ્રભારી હિતેન્દ્રસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન હિતેન્દ્રસિંહ ચૌહાણે આગામી કાર્યક્રમો અને સંગઠનને પાયાના સ્તર સુધી વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે ઉપસ્થિત તમામ પદાધિકારીઓને સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ જન-જન સુધી પહોંચાડવા માટે આહ