ગોધરા: જિલ્લામાં કોઈપણ મકાન, દુકાન, એકમ, ભાડૂઆત સબંધિત તમામ જરૂરી માહિતી પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે
આગામી દિવસોમાં ધાર્મિક તહેવારો જેવા કે નાતાલ, નવું વર્ષ, મકરસંક્રાંતિ દરમિયાન પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુ પંચમહાલના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી જે.જે.પટેલ દ્વારા તેઓને મળેલ સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ, પંચમહાલ જિલ્લામાં કોઈપણ રહેણાંક અથવા ઔદ્યોગિક એકમના માલિક કે સત્તાધારી વ્યક્તિ એ પોતાનું મકાન, દુકાન કે એકમ પોલીસ સ્ટેશનને જાણ કર્યા વિના કોઈપણ વ્યક્તિને ભાડે આપી શકશે નહીં. ભાડે આપેલ એકમ,દુકાન અને