તળાજા: તળાજાના પાણીયાળી ગામે 31 વર્ષીય યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
મળતી માહિતી અનુસાર, કુકડ-પાણીયાળી ગામના રહેવાસી પ્રદીપભાઈ મથુરભાઈ જાબૂચા, ઉંમર 31 વર્ષ, એ પોતાના નિવાસસ્થાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને ગામલોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અને કાયદેસરની કાર્યવાહી માટે તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.