રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના આહવાન હેઠળ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો પ્રચાર-પ્રસાર અભિયાન ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે જિલ્લાના ખેડૂતોને રવિ પાક માટે પ્રાકૃતિક કૃષિ વાવેતર કરવા પ્રેરવા માટે એક વિશેષ તાલીમનુ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ ડાયરેક્ટર ભાવિનભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ અને GNFSUના વિસ્તરણ શિક્ષક નિયામક રશ્મિકાંત ગુર્જરના દિશા નિર્દેશ હેઠળ,જાંબુઘોડા તાલુકાના નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગના મિશન ક્લસ્ટરના ખેડૂતોને માહિતગાર કર્યા હતા