જામનગરની કલા સંસ્થા અનુભૂતિ ગ્રુપ અને નમસ્તે ઈન્ડિયા પુણેના સંયુક્ત ઉપક્રમે જામનગરમાં તા. ૫ થી ૭ ડિસેમ્બર દરમ્યાન નમસ્તે જામનગર સાંસ્કૃતિક અને કલાનો મેળો યોજાશે. જેનું ઉદઘાટન તારીખ ૦૪.૧૨.૨૦૨૫ ના દ્વારકાધીશ મંદિરના દર્શન અને પૂજા દ્વારા નમસ્તે ઇન્ડિયાના સ્થાપક સુધીર સલુનકે દ્વારા કરવામાં આવશે. ત્યાર બાદ સુમેર રેસીડેન્સી હોલ, સુમેર કલબ, જામનગર ખાતે ચિત્ર પ્રદર્શનનું ઉદઘાટન થશે.