ગોધરા શહેરના લુણાવાડા રોડ પર સંત રાજિન્દર સિંહ મહારાજના બે દિવસીય આધ્યાત્મિક કાર્યક્રમનો શુભારંભ 23 ઓક્ટોબરે થયો હતો. સાવન કૃપાલ રૂહાની મિશનના વડા સંત રાજિન્દર સિંહજી મહારાજે પ્રથમ દિવસે ભક્તોને આશીર્વચન આપ્યા અને દર્શન આપ્યા. 24 ઓક્ટોબરે સાંજે સત્સંગ પ્રવચન અને રાત્રે નામદાન કાર્યક્રમ યોજાશે. મહારાજની આ ગોધરામાં બીજી મુલાકાત છે, જેમાં ભારત તથા વિદેશથી હજારો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા, અને વિશાળ જનમેદની માટે સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી.