સુરતના ચૌટા બજારમાં છેલ્લા ઘણા સમયથી ચાલી આવતા દબાણો દૂર કરાયા છે.પરંતુ હાલ બકરું કાઢ્યું અને ઊંટ પેઠું જેવો ઘાટ સર્જાયો છે.અહીં દબાણો દૂર કર્યા બાદ ફેરિયાઓ ન્યુસંસ વધ્યું હોવાની લોકરાવ ઉઠવા પામી છે.ફેરિયાઓ હવે દબાણ નહીં પણ સામાન લઈ આંટાફેરા મારતા ટ્રાફિક જામ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.મહત્વનું છે કે પાલિકા અને પોલીસ દ્વારા દબાણ હટાવવાની કામગીરી ઝુંબેશ રૂપે હાથ ધરી દબાણો દૂર કરાયા હતા.જે બાદ ઝીરો દબાણ રૂટ જાહેર કર્યો હતો.