આજે દિવાળી નું પર્વ આદિવાસી સંસ્કૃતિ મુજબ બાપદાદાઓની સમજણ મુજબ વાંસ માંથી દીવી બનાવી આખા ગામના દરેક ઘરમાંથી એક દીવી પ્રગટાવી પોતાના ઘર માં ખૂણે ખૂણે ફેરવી માતાજીને કાલાવાલા કરીને પ્રાર્થના કરે છે કે હે માં અમારા ઘરમાં થી રાગ, દ્રેષ, તાપ, ધૂપ, અસત્ય, લઈ જજે અને સુખ, શાંતિ, સમૃદ્ધિ, આનંદ ઉલ્લાસ ભર્યું વર્ષ બની રહે એવી પ્રાર્થના કરતાં દીવી ને ગામના પાદરે મૂકી આવે છે અને બધા ભેગામળી આ પ્રકાશ પર્વની ઉજવણી આનંદમય બની સન્માન પૂર્વક ઉજવણી કરવામા આવી.