માણાવદર રોડ પર ઘંટીયા ફાટક નજીક ગત રોજ સાંજના સમયે બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, જો કે ઈશ્વર કૃપાથી કોઈ મોટી જાનહાનિ થઈ નથી અને તમામ લોકો સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માતના કારણે થોડા સમય માટે રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.