તળાજા: તળાજાના મુખ્ય માર્ગ પર અચાનક નીલગાયની એન્ટ્રી, લોકોમાં ફફડાટ!
તળાજા શહેરના વાવચોકથી ગાંધીજીના પૂતળા તરફ જતા મુખ્ય માર્ગ પર આજે અચાનક એક નીલગાય ઘૂસી આવતાં લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, નીલગાય બેફામ દોડતી જોવા મળતાં રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાં ગભરાટ ફેલાયો હતો. નીલગાય ક્યારેક રસ્તાની એક બાજુ તો ક્યારેક બીજી બાજુ દોડતી હોવાથી થોડા સમય માટે ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ સમગ્ર ઘટનાના વીડિયો પોતાના મોબાઇલ ફોનમાં કેદ કર્યા હતા.