દેડિયાપાડામાં 15મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીના અવસરે આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે. વડાપ્રધાનના આગમન પહેલાં રાજયના ઉપ મુખ્યમંત્રી હર્ષસંઘવીએ ભરૂચના જીએનએફસી સરકીટ હાઉસમાં પાંચ જિલ્લાના અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.