સુરતના અઠવા લાઇન્સ સ્થિત પોલીસ કમિશનર બંગલો ખાતે બુધવારે નવા વર્ષ નિમિત્તે શહેર પોલીસનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો.પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં યોજાયેલ સ્નેહમિલન સમારોહમાં શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે,નાયબ મુખ્યમંત્રીના આહવાન ના પગલે સામાજિક દુષણ ડ્રગ્સ ના નાના નાના પેડલરોને શોધી કાઢી કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે.