તળાજા: તળાજામાં આવતીકાલથી પાણી પુરવઠો શરૂ થવાની સંભાવના, નગરપાલિકાના ચીફ ઓફિસરની નાગરિકોને અપીલ
તળાજા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પાણીની મુખ્ય પાઇપલાઇનમાં સતત સમારકામની કામગીરી ચાલી રહી છે. ભારે વરસાદ અને વારંવાર પાઇપલાઇન તૂટી જવાને કારણે અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો શરૂ થઈ શક્યો નથી. નગરપાલિકાની ટીમ દિવસ-રાત સતત કામગીરી કરી રહી છે. તેમ છતાં વારંવાર પાઇપલાઇનમાં ખામી સર્જાતા કામગીરીમાં વિલંબ થયો હતો, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે. તળાજા નગરપાલિકાના ચીફ ઓફિસર દિલીપભાઈ હૂણએ શહેરના નાગરિકોને ધીરજ રાખવા અપીલ કરી છે. ત