અંજાર: ચાંદ્રોડા સરકારી માધ્યમિક શાળામાં માતા સરસ્વતીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી
Anjar, Kutch | Dec 15, 2025 કલા સંસ્કૃતિ, શિક્ષણ આદિના સંવર્ધનના ઉમદા ભાવથી રચાયેલી અંજારની સંસ્થા હાર્મની આર્ટસ એન્ડ કલ્ચર દ્વારા વિભિન્ન શૈક્ષણિક સંકુલમાં માતા સરસ્વતીની દિવ્ય મૂર્તિની સ્થાપનાનો એક ઉત્તમ પ્રકલ્પ ચાલી રહ્યો છે. આ પ્રકલ્પના ભાગરૂપે ચાંદ્રોડા સરકારી માધ્યમિક શાળા તા.અંજાર ખાતે જ્ઞાનની દેવી સરસ્વતીની પ્રતિમા સ્થાપિત કરવાનો કાર્યક્રમ ભાવસભર રીતે ઉજવાયો.