માંગરોળ: ઇસનપુર ગામે વન વિભાગ એ ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાયો
Mangrol, Surat | Sep 26, 2025 માંગરોળ તાલુકાના ઇસનપુર ગામે વન વિભાગે ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાયો હતો છેલ્લા કેટલાક સમયથી શિકારની શોધમાં દિપડો ઇસનપુર ગામ આશ્રમ ફળિયામાં ગોકુળભાઈ દેવજીભાઈ ચૌધરી ના ખેતર નજીક આંટાફેરા કરતો હતો જેથી સ્થાનિકો દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાની માંગ કરવામાં આવી હતી મારણ ખાવાની લાલચ એ દિપડો પાંજરે પુરાતા વન વિભાગે દીપડાનો કબજો લઈ સુરક્ષિત સ્થળે છોડવા માટે તજવીજ હાથ ધરી છે