અંજારના શ્રી માનવ સેવા ચેરી. ટ્રસ્ટ તથા શ્રી સદગુરૂ રણછોડદાસ બાપુ ચેરી. હોસ્પિટલ રાજકોટ દ્વારા આયોજીત વિનામૂલ્યે નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન એક દિવસીય દરેક જ્ઞાતિજનો માટે માનવીય અભિગમે જૂના સ્વામિનારાયણ મંદિરે સવાસરનાકા અંજાર મધ્યે યોજવામાં આવેલું હતું.નેત્રયજ્ઞમાં ૩૨૫ જેટલી ઓપીડી થઈ જેમાંથી ૧૭૪ જેટલા લાભાર્થીઓને આંખના મોતીયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી બાપુ સદગુરૂ હોસ્પિટલે બસ વાહનો દ્વારા મોકલાવામાં આવ્યા હતા.