છ દાયકા ના શાસનમાં પ્રથમ વખત વર્તમાન શાસન દરમ્યાન યુનિવર્સિટી રાજકીય અખાડો બનવા સાથે ભ્રષ્ટાચાર વકરી રહ્યા ના આક્ષેપ કર્યા હતા. વિદ્યાર્થીનીઓની ટીમ પસંદગી બાદ યેનકેન પ્રકારે કબડ્ડી ટુર્નામેન્ટમાં ભાગ નહીં લેવાના નિર્ણય પર સિન્ડિકેટ સભ્ય અલ્પેશ પુરોહિતે સરદાર પટેલની કમૅભૂમી પર અને તેમની વિચારધારાથી પ્રસ્થાપિત યુનિવર્સિટી દ્વારા અન્યાય કરવામાં આવતા યુનિવર્સિટી ખાતે સરદાર પટેલની પ્રતિમાને દૂધ અને ગંગાજળથી ધોઇ યુનિવર્સિટી શાસનકર્તાને સદબુદ્ધિ આપે.