આ ૨૧મા હપ્તાના વિતરણના ભાગરૂપે જામનગર જિલ્લાના કુલ ૯૯,૩૧૪ ખેડૂતોને સીધો લાભ મળ્યો હતો. ખેડૂતોના બેંક ખાતામાં PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કુલ રૂ. ૧૯ કરોડથી વધુની સહાય જમા કરવામાં આવી છે. સરકારની આ સમયસરની નાણાકીય સહાય ખેડૂતોને ખેતી ખર્ચમાં રાહત આપવામાં અને તેમની આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થઇ છે.