ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાર્કિંગ સ્ટાફ ફરી વધુ એક વખત વિવાદમાં આવ્યો છે. બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આજે બપોરે 3:00 વાગ્યાની આસપાસ માત્ર બે પાંચ મિનિટ માટે પરિવારજનોને મુકવા આવેલ સામાન્ય નાગરિક સાથે પાર્કિંગ સ્ટાફ દ્વારા દાદાગીરી કરવામાં આવી હતી. જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી વાયરલ કરતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે હવે રેલવે પ્રશાસન આ અંગે શું પગલાં લેશે તે જોવું રહ્યું.