ભાભર: પશુપાલકોને મોટી રાહત: પૂરગ્રસ્ત ભાભર, વાવ સુઇગામ અને થરાદ તાલુકામાં પશુધન માટે ઘાસ ડેપો શરૂ ઘાસનું વિના મૂલ્યે વિતરણ
મુખ્યમંત્રીની સૂચના થી વહીવટી તંત્ર દ્વારા પૂર અસરગ્રસ્ત ભાભર, વાવ સુઇગામ અને થરાદ તાલુકામાં પશુઓ માટે વિશેષ રાહત રૂપે ઘાસ ડેપો શરૂ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર તરફથી ગાડીઓમાં સૂકો ઘાસચારો મોકલવામાં આવ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને પૂર્વ સાંસદ શ્રી પરબતભાઇ પટેલની ઉપસ્થિતિમાં ઘાસની ગાડીઓને અસરગ્રસ્ત વિસ્તારમાં રવાના કરવામાં આવી હતી જે વિના મૂલ્યે સૂકા ઘાસનું પશુપાલકો ને વિતરણ કરાશે