તારીખ 14/11/2025 ના રોજ મેઘપર સોસાયટીના રહેવાસીઓ સદસ્ય ટીમને સાથે રાખીને ગાંધીધામ મહાનગરપાલિકાના કમિશનરને રૂબરૂ મળીને મેઘપર સદસ્ય સમિતિવતી શુભેચ્છાઓ આપી. ત્યારબાદ સમિતિએ સોસાયટીની સમસ્યા વિશે કમિશનરને માહિતગાર કર્યા. જેમાં ખાસ કાવેરીનગર, પારસનગર, ઘનશ્યામનગર, આશાપુરા સોસાયટી, ગોકુલ ધામ, કૃષ્ણવિલા, પુષ્પ કોટેજ, ભક્તિધામ,શાંતિનગર, તુલસીધામ, રહેવાસીઓ એ પત્ર દ્વારા જે સમસ્યા છે એના વિશે જણાવ્યું. પ્રત્યુતરમાં કમિશનરે સંતોષકારક જવાબ આપ્યો હતો.