મહેસાણા જિલ્લાના વડનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છેતરપીંડી, વિશ્વાસઘાત તથા ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપીને આરોપી મેહુલભાઇ વિનોદભાઇ બોરીચા શિહોર દાદા ની વાવ નજીકથી મળી આવતા તેની કાયદેસર ધરપકડ કરવામાં આવી હતી.આરોપીને આગળની કાર્યવાહી માટે વડનગર પોલીસ સ્ટેશનને જાણ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.