તળાજા: તળાજામાં OBC આગેવાનોની રજૂઆત, “વસ્તી પ્રમાણે મળવો જોઈએ હક”
. 1 જૂન 2026થી શરૂ થનારી વસ્તી ગણતરી-2027ને લઈને OBC સમાજ દ્વારા મહત્વની માંગ ઉઠાવવામાં આવી છે. તળાજા મામલતદાર કચેરી ખાતે વિવિધ OBC આગેવાનો અને સંગઠનો દ્વારા આવેદનપત્ર પાઠવી OBC હેઠળ આવતી 146 જાતિઓની અલગ-અલગ ગણતરી કરવાની માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે ગુજરાત રાજ્યમાં અન્ય પછાત વર્ગ એટલે કે OBC હેઠળ કુલ 146 જાતિઓનો સમાવેશ થાય છે. વર્ષ 1931 બાદ દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી નથી, જેના કારણે OBC સમાજની વાસ્તવિક વસ્તી અંગે સ