ભરૂચના અયોધ્યાનગર પાસેના મેદાનમાં ઘાસચારામાં આગ લાગી ફટાકડાના તણખાથી અયોધ્યાનગર પાણીની ટાંકી પાસે કચરામાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં પાલિકામાં જાણ કરવામાં આવી હતી. નગરપાલિકાના લાશ્કરોએ દોડી આવી આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ ખુલ્લા મેદાનમાં ઘાસચારામાં લાગી હતી અને તેમાં કોઈ જાનહાનિ થઇ ન હતી.