Surat Crime: કાયદો વ્યવસ્થાને ખલેલ પહોચાડનારને પોલીસનો મેથીપાક
સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા માંનદરવાજા રેલ રાહત કોલોની ખાતે ફરિયાદી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
આ મામલે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ખૂનની કોશિશ (Attempt to Murder) અને એટ્રોસિટી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.
ટેક્નિકલ સર્વેલન્સ અને માનવીય સૂત્રોની મદદથી કુલ 5 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરત શહેર પોલીસે જણાવ્યું છે કે કાયદો પોતાના હાથમાં લેનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
📢 સુરત અને ગુજરાતના તાજા સમાચાર માટે Hotline News ને Subscribe કરો.
Udhna, Surat | Jul 14, 2026