ગાંધીધામ મહાનગરપાલિકા અને સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન (SRC)ના સંયુક્ત પ્રયાસોથી શહેરને સ્વચ્છ બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું લેવાયું છે.ગતરોજ આદિપુર અને ગાંધીધામના વિસ્તારોમાં 2,000 જેટલા ડસ્ટબિનનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ચેરપર્સન સેવક લખવાની અને મનપા કમિશનર મનીષ ગુરવાણીના માર્ગદર્શન હેઠળ આ તમામ ડસ્ટબિનને શાળાઓ, હોસ્પિટલો, પોલીસ મથકો, જાહેર સ્થળો અને બાગ-બગીચાઓ સહિતના સાર્વજનિક સ્થળોએ મૂકવામાં આવ્યા હતા.