ચાર દિવસ અગાઉ સુરતના ભીમરાડ ખાતે આવેલી શિવ રેસીડેન્સીની પ્રોટેક્શન વોલ ધરાશાઇ થઇ તૂટી પડી હતી. રાજલક્ષ્મી ગ્રુપ દ્વારા વિવાન પ્રોજેક્ટ નું બાંધકામ કરવામાં આવી રહ્યું છે.જેના ખોદકામ કરતી વેળાએ આ ઘટના બનતા લોકરોષ વ્યાપી ગયો હતો.આ ઘટનાને લઈ પાલિકા દ્વારા SVNIT ના ટેક્નિકલ તજજ્ઞોની ટીમની મદદ લેવાની ફરજ પડી છે.હાલ રેસીડેન્સી ના ચાર ટાવરો ખાલી કરાવી દેવામાં આવ્યા છે.તજજ્ઞોની ટીમ રિપોર્ટ બાદ ચારેય ટાવરોમાં લોકોને રહેવા દેવા કે નહીં તેનો નિર્ણય કરાશે.