પાટડી તાલુકાના ખેડૂતોએ નર્મદા કેનાલમાં પાણી છોડવા અને અન્ય સમસ્યાઓના નિરાકરણ માટે વિરમગામની નર્મદા વિભાગ કચેરીએ રજૂઆત કરી હતી. ખેડૂત હિત રક્ષક સમિતિના સભ્યો અને ખેડૂતોએ કેનાલની સફાઈ, આસપાસના બાવળો દૂર કરવા, પાણી ઝમવાની સમસ્યા તથા સમારકામના મુદ્દાઓ પર ચર્ચા કરી. અધિકારીઓએ રવિવાર સવાર સુધીમાં પાટડી-ખારાઘોડા મેઈન કેનાલમાં પાણી પહોંચી જવાની ખાતરી આપી. અન્ય પ્રશ્નો માટે તાત્કાલિક ગામોની મુલાકાત લઈ નિરીક્ષણ કરવાની ખાતરી આપી.