સુરત એસટી વિભાગ દ્વારા દિવાળીના પર્વને ધ્યાનમાં રાખી 1600 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે. જે બસોની શરૂઆત હાલ કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર સહિત વિવિધ જિલ્લાઓમાં આ બસો દોડાવવામાં આવી રહી છે. જેના થકી એસટી વિભાગને પ્રતિ દિવસ બે ગણી આવક થઈ રહી છે. દર વર્ષે એક્સ્ટ્રા બસોના આયોજન ને લઈ વિભાગને લાખો રૂપિયાની આવક ઊભી થાય છે. જ્યાં ચાલુ વર્ષે મહારાષ્ટ્ર અને રાજસ્થાન ખાતે પણ એક્સ્ટ્રા ટ્રિપો દોડાવવામાં આવી રહી છે.