સરદાર પટેલ સેવાદળ (SPG) દ્વારા રવિવારે સાંજે 6 કલાકે બેચરાજી તાલુકાના ગણેશપુરા (ગાંભુ) મુકામે એક વિશાળ જનમેદની સાથે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. SPGના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સંમેલનમાં પંથકના ૨૫ થી ૩૦ ગામોના હજારો લોકો ઉમટી પડ્યા હતા.