પીએમ સ્વનિધિ યોજના થકી શેરી વિક્રેતાઓ આત્મનિર્ભર બન્યા: અમરેલીના મકસુદભાઈ કચરાએ વ્યક્ત કર્યો સરકારનો આભાર
Amreli City, Amreli | Oct 12, 2025
અમરેલી ખાતે યોજાયેલી વિકાસ સપ્તાહની ઉજવણી દરમિયાન પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શેરી વિક્રેતાઓને રૂ. ૧૫ અને ૨૫ હજારના સહાય ચેક આપવામાં આવ્યા. લાભાર્થી મકસુદભાઈ કચરાએ જણાવ્યું કે આ યોજના નાના ધંધાર્થીઓને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ બની છે.