પૂજ્ય શ્રી મહાત્મા ગાંધીજીના નિર્વાણદિન નિમિત્તે અંજાર નગરપાલિકા દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમા સર્કલ મામલતદારની કચેરી સામે અંજાર મધ્યે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય મંત્રી તથા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ બી. છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ ડી કોડરાણીના અધ્યક્ષ સ્થાને પુષ્પાંજલિ અને મૌન પાળવા સાયરન વગાડવા સાથેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.