જૂનાગઢ તાલુકાનાં સાબલપુર ગામ ખાતે પાણીના ટાંકા પાસે ખાડામાં ડુબી જતાં ૧ર વર્ષનાં બાળકનાં મૃત્યું થયાનાં બનાવમાં મૃતકનાં વાલી-વારસોને રૂા. પાંચ લાખની સહાય ચુકવવા ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ દ્વારા સીમાચીન્હરૂપ આદેશ કરવામાં આવ્યો છે. તે સાથે જ ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે જૂનાગઢ મનપા દ્વારા બિલ્ડરો માટેની ગાઈડલાઈન જાહેર કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે.