ભરૂચ: ભરૂચ શહેરમાં તંત્ર દ્વારા જંબુસર બાયપાસ ચોકડીથી કંથારીયા સુધીના માર્ગ પર ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા
ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી ચાલુ રહી છે.અગાઉ શહેરની શ્રવણ ચોકડીથી શક્તિનાથ સર્કલ સુધીના દબાણો દૂર કરાયા બાદ આજરોજ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં જંબુસર બાયપાસ ચોકડીથી કંથારીયા સુધી મુખ્ય માર્ગને અડીને ઊભા કરી દેવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. રોડના સેન્ટરથી 10 મીટર સુધીના માર્જિનમાં આવતાં દબાણો હટાવી દેવામાં આવ્યા હતા.