અંજાર: સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા રસીક સંપ્રદાયની પદયાત્રા યોજાશે, જાણો માહિતીમાં મહંતે શું જણાવ્યું
Anjar, Kutch | Oct 22, 2025 અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે રસીક સંપ્રદાયની પદયાત્રા યોજવામાં આવશે. રતનાલ ગામથી આગામી તા.૨૪ના પ્રસ્થાન કરનારી પદયાત્રામાં મોટી સંખ્યામાં રસિકજનો જોડાશે. રતનાલ સચ્ચિદાનંદ મંદિર મધ્યે તા. ૨૪/૧૦/૨૫ના સવારે ૫ વાગ્યે પદયાત્રાનો પ્રારંભ થશે. જેની આજરોજ મહંત ત્રિકમદાસજી મહારાજે માહિતી વર્ણવી છે.