ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પરથી સ્કૂલબસોને પસાર થવા દેવાની છૂટ, જાહેરનામામાં કરાયો સુધારો
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી સ્કૂલબસોને પસાર થવા દેવાની છૂટ આપવામાં આવી છે. નર્મદા મૈયા બ્રિજ પરથી એસટી બસ સિવાયના ભારદારી વાહનોના પસાર થવા પર પ્રતિબંધ છે. ભારદારી વાહનો પર પ્રતિબંધ હોવાથી સ્કૂલબસોને પણ નેશનલ હાઇવે -48 પર પરથી પસાર થવાની ફરજ પડતી હતી.જેમાં બાળકોના સમય અને વાહનોના ઇંધણનો વ્યય થઈ રહયો હતો.પોલીસ વિભાગનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. આ અભિપ્રાયના આધારે નર્મદા મૈયા બ્રિજ પરથી સ્કૂલબસોને પસાર થવાની છૂટ આપવામાં આવી છે.