રોજ,ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 69મી પુણ્યતિથિ નિમિત્તે સુરત શહેરમાં એક અનોખી પહેલ દ્વારા તેમની સ્મૃતિને વંદન કરવામાં આવ્યું હતું. સમસ્ત આંબેડકરી સમાજ દ્વારા આ પુણ્યતિથિની ઉજવણીમાં એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી હતી. પરંપરાગત રીતે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાને બદલે, સુરતના રીંગ રોડ ખાતે આવેલી બાબા સાહેબની પ્રતિમાને ફૂલોની જગ્યાએ નોટબુક અને પુસ્તકો અર્પણ કરવામાં આવ્યા હતા.