, ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચી રહી છે. પંચમહાલ જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા એક પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. 'પાલક માતા-પિતા યોજના' અંતર્ગત નોંધાયેલી 49 દીકરીઓએ લગ્ન ગ્રંથિથી જોડાયા બાદ, સરકાર તરફથી તેમને પ્રત્યેક દીકરીને ₹2 લાખ ની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. જે બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે, તેવા નિરાધાર બાળકોના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા 'પાલક માતા-પિતા યોજના' ચલાવવામાં