અખંડ સોમનાથ, અખંડ ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રેરણાથી તા.8 થી 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે.જે અંતર્ગત અતૂટ આસ્થા ના 1000 વર્ષ પૂર્ણ થવા ના અવસરે આજે ગુરુવારના રોજ જાંબુઘોડાના નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સળંગ 72 કલાક સુધી અખંડ ઓમકાર જાપનુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમા જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈ તેમજ ગ્રામજનો સહભાગી થઈ દેવાધી દેવ મહાદેવ જીની આરાધના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા