જામનગરના એક આસામી સાથે રોકાણના બહાને ૧ કરોડ ૮૭ લાખ ની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ આસામીએ દીવાન એન્ટરપ્રાઈઝ નામની પેઢીના બેંક ઓફ મહારાષ્ટ્રમાં આવેલા ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા. પરંતુ તેઓને વળતર કે પોતાના પૈસા પરત મળ્યા ન હતા. આથી જામનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.