આ પ્રસંગે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમને ભાવભીની વિદાય આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી દિલીપ ભાઈ. દેસાઇએ પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હતું કે, "ભરતી, બદલી અને નિવૃત્તિ એ સરકારી કર્મચારીના જીવનની એક રૂટિન પ્રક્રિયા છે, જેમાંથી દરેક કર્મચારીએ પસાર થવું પડે છે." તેમણે ડો. ચૌધરીની સેવાઓને બિરદાવી તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.ડો. એમ. આર. ચૌધરી પોતાના સરળ સ્વભાવ અને સ