દિલ્હી બોમ્બ બ્લાસ્ટ ની ઘટના બાદ સુરત પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે. મંગળવારે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ની અધ્યક્ષતામાં સાંજે પાંચ કલાકે પોલીસ ભવન ખાતે હાઈ લેવલ મીટીંગ બોલાવવામાં આવી હતી. મિટિંગમાં જેસીપી, એડિશનલ સિપી, તેમજ ડીસીપી કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ કમિશનરે શહેરની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે જરૂરી પગલાં ભરવા માટેની મહત્વપૂર્ણ સુચના આપી હતી.