ગાંધીધામ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે તહેવારો દરમિયાન નાગરિકોને શુદ્ધ અને સલામત ખોરાક મળે તે હેતુથી 15/09/2025 થી 15/10/2025 દરમિયાન એક ખાસ ઝુંબેશ ચલાવી હતી. આ ઝુંબેશ અંતર્ગત અંતરજાર, મેઘપર બોરીચી, મેઘપર કુંભારડી, ગાંધીધામ અને આદિપુર વિસ્તારમાંથી વિવિધ ખાધપદાર્થોના કુલે 32 નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેમાં પનીર, દૂધ, મીઠાઈઓ, ફરસાણ, તેલ વગેરેનો સમાવેશ થાય છે. આ નમૂનાઓ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે.